વડાપ્રધાનના જન્મદિને થરાદના નિવૃત શિક્ષકે પી.એમ. રિલીફ ફંડમાં જમા કરાવતા શુભેચ્છા પાઠવી

વડાપ્રધાનના જન્મદિને થરાદના નિવૃત શિક્ષકે પી.એમ. રિલીફ ફંડમાં જમા કરાવતા શુભેચ્છા પાઠવી

હિન્દ ન્યુઝ, થરાદ

દેશના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોઈ વિવિધ તબક્કાવાર કાર્યક્રમો કરાઈ રહ્યાં છે, ત્યારે થરાદના નિવૃત શિક્ષકે પોતાના એક માસનું પેન્શન પીએમ રિલીફ ફંડમાં જમા કરાવી વડાપ્રધાનને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. થરાદના વાંમી ગામના મૂળ વતની અને હાલમાં કાયમી ધોરણે થરાદ રહેતા નિવૃત શિક્ષક ભુરાલાલ જયદેવરામ ઓઝાએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ સાથે પોતાને એક માસનુ પેન્શન 26,300 રૂપિયા પી.એમ. રીલીફ ફંડમાં જમા કરાવી વડાપ્રધાન મોદી હરહંમેશ નિરોગી અને સ્વસ્થ રહે તેવી માઁ ભગવતીને પ્રાર્થના કરેલ હોઈ થરાદના નાયબ કલેકટર વી.સી. બોડાણા સહિત થરાદ શહેર ભારતીય જનતા પાર્ટીએ નિવૃત શિક્ષક ભુરાલાલ જયદેવરામ ઓઝા મુળ રહે વાંમી, હાલ રહે સિધ્ધેશ્વરી સોસાયટી થરાદવાળાને અભિનંદન પાઠવી દેશપ્રેમની લાગણીને બિરદાવી હતી.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી થરાદ બનાસકાંઠા

Related posts

Leave a Comment